તિથલ રોડ “અવધપુરી ધામ ગૌવશાળા “ના લાભાર્થે 7/6/થી 15/6/2023 સુધી “રઘુનાથ ગાથા”માનસ મનોરથી રામ કથા નું આયોજન કરવામાં આવ્યું છે તુલસીપીઠ પર માનસ મર્મજ્ઞ કથાકાર પ્રફુલભાઇ શુક્લ બિરાજશે,લક્ષ્મીબેન બારોટ દ્વારા દરરોજ રામકથા નૉ એક પ્રશ્ન પૂછાશે એનું શ્રીફળ મુહર્ત આજે ભાગવત ની વ્યાસપીઠ પરથી કથા ના આયોજક બકુલભાઈ જોશી, દિનેશભાઇ ચૌહાણ,માનસિંગભાઈ ગઢવી લક્ષ્મીબેન કૌશિકભાઈ બારોટબંકિમ ભાઇ ભટ્ટ કૌશિક ભાઈ ટંડેલ ના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું સતત એક મહિનાથી વલસાડ માં કથા કરતા પ્રફુલભાઇ ની પાચ મી કથા ના આયોજન થી વલસાડ ના લોકો માં ખુશી ની લહેર પ્રગટી ગઈ છે કથા નૉ સમયદરરોજ સાંજે 3 થી 6 રાખવામાં આવ્યો છે

