Gujarati

દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકર દ્વારા ધોડિયા સમાજના વિદ્યાર્થીઓને જ્ઞાન ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

Written by krishnanewsnetwork

દાદરા નગર હવેલીના લોકસભા સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકર જી વરદ હસ્તે શિક્ષણ ક્ષેત્ર દાદરા નગર હવેલી જિલ્લા સ્તરીય  પ્રશ્ન સ્પર્ધામાં વિજેતા જાહેર થયા વિદ્યાર્થી ને ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન દ્વારા વિજ્ઞાન-ગણિત જ્ઞાન ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો. 02 ઓકટોબર 2024ના રોજ મહાત્મા ગાંધી જયંતિ અવસર પર જ્ઞાન ગૌરવ પુરસ્કારના પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.દાદરા નગર હવેલી અને દમણ દીવ સંઘપ્રદેશ ના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ પ્રશ્ન મંચ સ્પર્ધામાં દાદરા નગર હવેલી જિલ્લા સેલવાસના કલાકેન્દ્ર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાદરા નગર હવેલીની પ્રાથમિક ગુજરાતી શાળા મસાટના દ્વિતીય નંબર ક્રમે ઝળહળી તેમજ માધ્યમિક શાળા મસાટના પ્રથમ વિજેતા થઈ હતી.જ્ઞાન ગૌરવ પુરસ્કાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં માટે પુરસ્કાર કરનાર દાદરા નગર હવેલીના સાંસદ આદરણીય શ્રીમતી કલાબેન ડેલકર જી ના હસ્તે તમામ વિદ્યાર્થીઓને ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ નિમિત્તે ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠનના પ્રમુખશ્રી અશ્વિનભાઈ એચ. પટેલ ઉપપ્રમુખ શ્રી પ્રભુભાઈ યુ. પટેલ મહામંત્રી શ્રી ઉત્તમભાઈ પટેલ, ખજાનચી શ્રી અવિનાશભાઈ પટેલ, મંત્રીશ્રી રવિયાભાઈ પટેલ, સહમંત્રી શ્રી સતિષભાઈ પટેલ, સહ મંત્રી અજિત ભાઈ પટેલ, સહ ખજાનચી શ્રી રાજેશભાઈ પટેલ,  અને કાનૂની સલાહકાર સમિતિના વાઈસ ચેરમેન શ્રી કિશનભાઇ પટેલ સમિતિના સદસ્ય શ્રી જીગ્નેશભાઈ પટેલ સહિત કમિટી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.  ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન તમામ પદાઅધિકારીઓએ આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આદરણીય સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર જી ની મુલાકાત દરમિયાન સાથે ઉપસ્થિત રહી વિરલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું હતું. આ નિમિત્તે ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠનના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન સંસ્થાની અંદર અનેક સામાજિક જનસેવા ની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સૌવ પ્રથમ શિક્ષણ અને સામાજિક સંસ્કાર ઉપર કામ કરી રહ્યા છે. આજે સાંસદ આદરણીય શ્રીમતી કલાબેન ડેલકર જી ના હસ્તે વિજેતા બનનાર તમામ ધોડિયા સમાજના વિદ્યાર્થીઓને જ્ઞાન ગૌરવ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંસદ શ્રી દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દાદરા નગર હવેલી જિલ્લા સરકારી વિભાગ અને શાળાઓએ ઝોન કક્ષાએ લીધો હતો. જેમાં પ્રાથમિક ગુજરાતી શાળાની વિદ્યાર્થીનીઓ સુદીક્ષાબેન વેસ્તાભાઈ પટેલ ધોરણ -8 તેમજ રિયાબેન વસંતભાઈ પટેલ ધોરણ -8 ફાઇનલમાં પ્રવેશી દ્વિતીય કામે વિજેતા થયા હતા. જ્યારે માધ્યમિક ગુજરાતી શાળા મસાટ નૈતિકભાઈ રાજેશભાઇ પટેલ, ધોરણ-10 અને ખુશીબેન અરુણ સિન્હા ધોરણ – 9 આ બંને વિદ્યાર્થીનીઓએ જિલ્લા સ્તરીય સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવ્યા હતા. માધ્યમિક ગુજરાતી શાળા મસાટના આચાર્ય શ્રી દોલતસિંહ પ્રભાતસિંહ સોલંકી ના નેતૃત્વમાં શિક્ષક શ્રી નટવરસિંહ ગોહિલ તેમજ રીંકલબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે પ્રાથમિક ગુજરાતી શાળા મસાટના શિક્ષક શ્રીમતી મીનલબેન આર સોલંકી સાથે મુખ્ય શિક્ષક શ્રી રણજીતભાઈ મગનભાઈ પટેલ ના માર્ગદર્શનમાં અને સહયોગી શ્રી જીતેન્દ્ર દયારામ ભાઈ નરોલીયા અને આ કાર્યક્રમ માટે અને સી.આર.સી કોઓર્ડીનેટર શ્રીમતી સેફાલીબેન પટેલ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન થી જોનલ લેવલ જિલ્લા સ્તરીય આ સ્પર્ધામાં મસાટની પ્રાથમિક ગુજરાતી શાળા મસાટ અને માધ્યમિક શાળા મસાટ દ્વારા માં અવલ નંબર વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment