ગુજરાત હાઇકોર્ટ ના ઓડિટોરિયમ અમદાવાદ મુકામે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબ તથા ગુજરાત સરકારના કાયદા મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી જે. જે. પટેલ તથા સમગ્ર ગુજરાત ના જિલ્લા તથા તાલુકા વકીલ મંડળ ના હોદ્દેદારો તથા બે હજાર ઉપરાંત વકીલો ની હાજરી માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશન નું ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ તથા શિસ્ત કમિટીના ચેરમેન શ્રી પી. ડી. પટેલ દ્વારા ગુજરાત સરકારના કાયદા મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાયદા મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે વકીલ મિત્રોની નોટરી તરીકે પસંદગી થઇ છે એવા મિત્રોને થોડા સમયમાં નોટરી તરીકેના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે.
આ ભવ્ય કાર્યક્રમમાં વલસાડ થી શ્રી મનીષભાઈ રાણા , રાકેશભાઈ પટેલ વાપી થી સતિષભાઈ પટેલ,અલ્પેશભાઈ પટેલ ઉમરગામ થી કૌશિકભાઈ સાલિયા,વિશ્વકર્મા તથા ચીન્ટુભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી થી પ્રમુખશ્રી નેવીલભાઈ પટેલ , અજયભાઇ ટેઈલર , હરીશભાઈ સાવલિયા તથા બળવંતભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લોન્ચિંગ કરવામાં આવેલ બાર કાઉન્સિલ ની વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશન ગુજરાતના વકીલો ને ખુબજ ઉપયોગી નીવડશે.

