

અખિલ હિંદ મહિલા પરિષદ વલસાડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનના રોજ વિદ્યામૃત પાઠશાળાના પટાંગણામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન કિન્નરીબેન શ્રોફ એ 50 વૃક્ષો ના રોપા લાવ્યા હતા,જે મંડળ ની બહેનોએ રોપણ કર્યા હતા. મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી નીતાબેન શેઠે પાઠશાળાના ટ્રસ્ટીઓ,નિનાદભાઈ ભટ્ટ, મંત્રી કીર્તિબેન ભાંડુતિયા અને અલકાબેન જોષી નો સારા સહલાકાર તરીકે કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ બધા નો આભાર માન્યો હતો.તેમને આ સાથે દરેક સભ્યને પોતાના ઘરે પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ ની રક્ષા કરવા જણાવ્યું હતું.

