Gujarati

વાપીમો મા ઉમિયા ના દિવ્યરથ નું સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું:નાણામંત્રી કનુભાઇ દેસાઈ સહિત અગ્રણી ઉધોગપતિઓ એ પૂજા દર્શન નો લાભ લીધો

Written by krishnanewsnetwork

અમદાવાદમાં જાસપુર એસ.જી.હાઈવે ઉપર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ નું સૌથી ઊંચું ૫૦૪ ફૂટ નું મંદિર પ્રસ્થાપિત થઈ રહયું છે.૧ હજાર કરોડ ના ખર્ચે મંદિર સાથે સમાજ ઉથ્થાન માટે વિવિધ પ્રકલ્પ ૧૦૦ એકર જમીન મંદિર સાથે આકાર લઈ રહયા છે. જેના પ્રચાર પ્રસાર માટે માં ઉમા નો દિવ્ય રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહયો છે .આજે સોમવારે વાપીમો દિવ્યરથ નું આગમન થયું હતું.

વાપી છરવાડા રોડ ઉપર દિવ્ય રથ નું સ્વાગત કરવામાં આવ્યુ હતું.ઉત્તર ગુજરાત ,કચ્છ, સૌરાષ્ટ્ર ના પાટીદાર પરિવાર ઉપસ્થિત રહ્યા હતા માથે કુંભ કળશ
ઝવેરા સાથે એક સરખી સાડી પરિધાન મો સજ્જ બની માં નો જય જય કાર કર્યો હતો છરવાડા ઉમિયા ચોક મો દિવ્યરથ માં બિરાજમાન થયેલા જગત જનની માં ઉમિયા ની પૂજા અર્ચના નાણાંમંત્રી કનુંભાઈ દેસાઈ યોગેશભાઈ કાબરીયા, મિલનભાઈ દેસાઈ સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ એ કરી હતી. ઉમિયા ચોક મો ભવ્ય પુષ્પવર્ષા સાથે સાથે સમાજની બહેનો ગરબે ઘૂમી હતી ત્યાર બાદ દિવ્યરથ ની શહેર પરિક્રમા નો શુભારંભ થયો હતો ગુંજન સહિત ચણોદ કોલોની સુધી ના વિસ્તારમાં મો દિવ્યરથ પરિભ્રમણ કરી ને રાત્રે રોફેલ કોલેજમાં રાત્રી વિરામ અને સાંસ્કૃતિક રાસ ગરબા સહિત
મહાપ્રસાદ નો હજારો ભાવિકો એ લાભ લીધો હતો. બીજા દિવસે તા.૬ મંગળવારે દિવ્યરથ વાપી ટાઉન ના વિવિધ વિસ્તારમાં મો પરિભ્રમણ કરશે તેમજ રાત્રિ વિરામ બાદ બુધવારે ધરમપુર જવા પ્રસ્થાન કરશે .

About the author

krishnanewsnetwork

Leave a Comment